ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડનો બનાવ બન્યો...શક્તિસિંહ
રોજીદ ગામના સરપંચે દારૂનું વેચાણ બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં જાતે જઈ ફરિયાદ આપી જેની નકલ DSP અને ગૃહ મંત્રીને પણ મોકલી. શા માટે કાર્યવાહી કરવામાં ન આવી ? શું દારૂના અડ્ડાઓ સરકારના આશીર્વાદ, પોલીસના હપ્તાઓ અને ભાજપના મીલીપણાથી ચાલી રહ્યા છે ?
અત્યંત દુઃખદ છે, 23 વ્યકતિઓના મૃત્યુ જેરી દારૂ (લઠ્ઠો) પીવાથી થયા છે. ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો. નીચેથી ઉપર તમામને જાણ કરાઈ હતી. હજુ સુધી જવાબદાર સામે કોઈ પગલાં નહીં કે સરકારની નૈતિક જવાબદારીનો સ્વીકાર નહીં તે શું દર્શાવે છે? શું લઠ્ઠા કાંડને નવું નામ આપી સરકાર અવસરમાં ફેરવાશે ?
Comments
Post a Comment