પાલીતાણા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ તેમજ નાગરીકોનો એન ટી જન કીટ દ્વારા ટેસ્ટ કરવામા આવ્યો
ભાવનગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો તાવિયાડ ની સુચના થી હાલ ની કોરોના મહામારી અટકાવવા ના ભાગ રૂપે પાલીતાણા બ્લોક હેલ્થ દ્વારા શહેર ના હિરા કારખાનાં ના કારીગરો એસ ટી વિભાગના કર્મચારીઓ નગરપાલિકા ના સફાઈ કામદારો તથા અન્ય નાગરીકો ના એન્ટીજન કીટ દ્વારા કુલ 80 લોકો ને ટેસ્ટ કરવામા આવેલ છે આ સમગ્ર ટેસ્ટીંગ ની કામગીરી પાલીતાણા અર્બન ધન્વંતરી રથ ના ડો પ્રિયંકા યાદવ તથા ડો જયેન્દ્ર ભટ્ટ અને તેની ટીમ દ્વારા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો દીપક મકવાણા અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી હરસુરભાઈ ગાગીયાભાઈ ના માર્ગદર્શન નીચે આ ટેસ્ટીંગ કરેલ છે
Comments
Post a Comment