આજરોજ ભુજ ખાતેથી 1650 મુસાફરો લઇને ભુજ-મિદનાપુર શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પશ્ચિમ બંગાળના મિદનાપુર ખાતે રવાના કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર, રેલવે અને પોલીસ તેમજ ભુજ સ્વામીનારાયણ મંદિર, તેરા તુજકો અર્પણ સંસ્થા અને સરકાર દ્વારા વિવિધ સહકાર આપવામાં આવ્યો હતો*
*ભુજ રેલ્વે સ્ટેશન ખાતે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખી સૌપ્રથમ તમામ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ રેલ્વે અધિકારીઓએ તાળીઓ પાડી તમામ શ્રમિકોનું અભિવાદન કર્યું હતું,
*ત્યારે વતન પહોંચવાની ખુશીની લાગણી સાથે પરપ્રાંતિય શ્રમિકોના ચહેરા ઉપર સ્મિત રેલાતું જોવા મળ્યું હતું
તંત્રી:સલીમ બાવાણી.મો9376404040
Comments
Post a Comment