Posts

Showing posts from August, 2020

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

Image
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલી  ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી અને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતીને બમણા વેગથી આગળ ધપાવી રહ્યા છે. રામ જન્મભુમિ મંદીર શિલાન્યાસ થકી આજે સૌ ભારતવાસી અનેરા સંતોષની લાગણી અનુભવી રહ્યા છે તેમજ કલમ ૩૭૦ની નાબુદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમા એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મુર્તિમંત થઈ શક્યુ છે. કોરોના મહામારીમા વડાપ્રધાનશ્રીના દુરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ સાષ્ટ્રના વિકાસને પુન: ગતીવાન કરવા જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયેલ છે. રાજ્ય સરકારે કોરોના મહામારીમા લોકોનુ સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી ધન્વંતરી રથ, ડોર ટુ ડોર સર્...

ઉમરગામ ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

Image
ઉમરગામ ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્‍ય સરકાર કટિબધ્‍ધ છે- સામાજિક અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર.   ઉમરગામ નગરપાલિકા ખાતે ની કન્‍યાશાળા ખાતે રવિવારે સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્‍પ અર્પણ સાથે મંગલ દીપપ્રાગટય થકી કરવામાં આવ્‍યો હતો.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ઉમરગામ નગરપાલિકા ખાતે ની કન્યાશાળા ખાતે ના વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ના પ્રસંગે જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઉમરગામ આવેલ હોઈ તેવા પ્રસંગે ભાજપા શાસિત ઉમરગામ નગરપાલિકા ના સભ્યો, હોદેદારો અને શહેર ભાજપા સંગઠન ના કોઈ પણ હોદેદારો  જોવા મળ્યા ન હતા.પાલિકા ના પ્રમુખ ની એકલો જા રે ની કાયમી નીતિ  આવા મહત્વ ના પ્રસંગે પણ જોવા મળતા નગર માં આચાર્ય. ...

બનાસકાંઠા, પાલનપુર સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Image
બનાસકાંઠા,, પાલનપુર તાલુકાના કાણોદર ગામે સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમા કાણોદર ગામના સેવાભાવી અને વ્યવસાય વકિલ અને માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે રાત દિવસ જોયા વગર અને ખડે પગે સેવા કરતા માનવ સેવા સાથે અબોલ પશુ પક્ષીઓ ની સેવા કરતા પ્રકાશભાઈ ધારવા દ્વારા માનવ સેવા તેમજ અબોલ પશુ અને પક્ષીઓ ની સેવા કરતા સેવા યજ્ઞ ફાઉન્ડેશન ના ચેરમેન પ્રકાશભાઈ ધારવા દ્વારા જણાવેલ કે અમારા સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્વારા કાણોદર ગામથી વૃક્ષારોપણ યજ્ઞ ની શરૂવાત કરીછે તેમાં 1000 જેટલા વૃક્ષોના રોપાને અલગ અલગ જગ્યા એ રોપા રોપવાનુ આયોજન કરેલ છે જેમાં કાણોદર ગામના દલપતભાઈ ચાવડા અને યુવાનો ના સાથ અને સહકાર થી વૃક્ષારોપણ કરી ને સાથે સેવા યજ્ઞ ની શરૂવાત કરીછે જેમાં સરકાર શ્રી ના સરકારી વિભાગો ફોરેસ્ટ વિભાગ ની મદદથી સરકાર શ્રી ના અભિગમ મુજબ અને વૃક્ષ વાવો અને વરસાદ લાવો ના નારા સાથે સેવા યજ્ઞ ફાઉન્ડેશન ના ચેરમેન પ્રકાશભાઈ ધારવા અને તેમની ટીમ દ્વારા જે ભગીરથ કાર્ય કરી રહ્યા તે સરાહનીય છે તેમજ દેશ હીત અને દેશ સેવા ના સંકલ્પ સાથે જે સેવા કરી રહ્...

બનાસકાંઠા મેળા ઓ બંધ વડગામ ભરકાવાડા અને રૂપાલ માં યોજાતા મેળા બંદ મોકૂફ રખાયા

Image
બનાસકાંઠા  મેળા ઓ બંધ  વડગામ  ભરકાવાડા અને રૂપાલ માં યોજાતા મેળા બંદ મોકૂફ રખાયા તાલુકા મથક વડગામ અને ભરકાવાડા માં ગોકુળ આઠમ નો મેળો યોજાતો હતો અને રૂપાલ માં આવેલા શીતળા માતાજી ના મંદિરે સાતમ નો મેળો દર વરસે યોજાતો હતો.આં વરસે કોરોના મહામારી ને લઈ સરકાર એ તમામ પ્રસંગો મોકૂફ રાખ્યા છે.જેને આં બન્ને ગ્રામજનો અને પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આં શ્રાવણ મહિનામાં યોજાતા સાતમનો રૂપાલ નો શીતળા માતા નો મેળો અને ભરકાવાડા અને  વડગામમાં યોજાતો આઠમનો મેળો બંધ રાખવામાં આવે છે જેની તાલુકાની જનતાએ નોંધ લેવા સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે

પાલીતાણા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ તેમજ નાગરીકોનો એન ટી જન કીટ દ્વારા ટેસ્ટ કરવામા આવ્યો

Image
પાલીતાણા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ તેમજ નાગરીકોનો એન ટી જન કીટ દ્વારા ટેસ્ટ કરવામા આવ્યો  ભાવનગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો તાવિયાડ ની સુચના થી હાલ ની કોરોના મહામારી અટકાવવા ના ભાગ રૂપે  પાલીતાણા બ્લોક હેલ્થ દ્વારા શહેર ના હિરા કારખાનાં ના કારીગરો એસ ટી વિભાગના કર્મચારીઓ નગરપાલિકા ના સફાઈ કામદારો તથા અન્ય નાગરીકો ના એન્ટીજન કીટ દ્વારા કુલ 80 લોકો ને ટેસ્ટ કરવામા આવેલ છે  આ સમગ્ર ટેસ્ટીંગ ની કામગીરી પાલીતાણા અર્બન ધન્વંતરી રથ ના ડો પ્રિયંકા યાદવ તથા ડો જયેન્દ્ર ભટ્ટ અને તેની ટીમ દ્વારા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો દીપક મકવાણા અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી હરસુરભાઈ ગાગીયાભાઈ ના માર્ગદર્શન નીચે આ ટેસ્ટીંગ કરેલ છે

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી ભાવનગરની મૂલાકાતે

Image
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગરની કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ,મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  ગુજરાત રાજ્યની પહેલ એવા ધનવંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઇ,ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે,મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ભાવનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું.  મુખ્યમંત્રીશ્રીએ બેઠક પૂર્ણ કરી પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે. લગભગ છેલ્લા પાંચ મહિનાથી દરરોજ હાઈ પાવર્ડ કોર ગ્રુપ મીટીંગ યોજી કોરોના સંદર્ભે વિવિધ નિર્ણયો અને તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમા...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જીલ્લાની નવિન કારોબારી રચના *ફોરમ વિદ્યાલય નાગલપુર રોડ મહેસાણા ખાતે કરવામાં આવી

Image
*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જીલ્લો* 🌷 *નવિન કારોબારી રચના*🌷 આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જીલ્લાની નવિન કારોબારી રચના *ફોરમ વિદ્યાલય નાગલપુર રોડ મહેસાણા ખાતે કરવામાં આવી*.. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મહેસાણા તથા વિસનગર જીલ્લા ના જીલ્લા કાર્યવાહ ઉપસ્થિત રહ્યા *કોરોના મહામારી સંદર્ભે* નિશ્ચિત કરેલા દરેક તાલુકા ના મર્યાદિત શિક્ષક મિત્રો ની ઉપસ્થિતિ માં *જીલ્લા ના પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ વેલજીભાઈ ચૌધરી તથા મંત્રી તરીકે શ્રી ચિરાગ ભાઈ પ્રહલાદભાઈ પટેલ* ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.. આગામી સમયમાં મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સંગઠન રચના કરવામાટે ચર્ચા કરવામાં આવી તમામ તાલુકાઓમાંથી ૪૦ જેટલા શિક્ષકોની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન સફળતાથી પુરું કરવા માટે ની યોજના બનાવવામાં આવી *આજની બેઠકમાં.. પ્રાથમિક સંવર્ગ ના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ... મહામંત્રી શ્રી રતુભાઇ ગોળ.. માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી* તથા પાટણ જીલ્લા ના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સંગઠન ની જાણકારી અને સંગઠન દ્વારા શિક્ષકોના ઉકેલાયા પ્રશ્નો અંગ...

ઉમરગામ દહેરી ખાતે આકસ્‍મિક મૃત્‍યુ સહાયનો ચેક અર્પણકરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

Image
ઉમરગામ દહેરી ખાતે આકસ્‍મિક મૃત્‍યુ સહાયનો ચેક અર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર વલસાડઃ તા.૦૭ ઉમરગામ તાલુકાના દહેરી ગામના ભંડારવાડ ફળીયાના વતની ઋતિક દયારામ ભંડારી ઉં.૨૦ વર્ષ તા.૦૫/૦૮/૨૦૨૦ ના રોજ ભારે વરસાદ અને વાવાઝોડા દરમ્‍યાન અવકાશી વિજળી પડવાથી કુદરતી આફતમાં મૃત્‍યુ પામ્‍યા હતા. તેઓના પિતા દયારામ કેશવ ભંડારીને રાજય સરકાર દ્વારા કુદરતી આફત અન્‍વયે આકસ્‍મિક મૃત્‍યુ સહાયના ભાગ રૂપે રૂપિયા ચાર લાખની સહાયનો ચેક વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે આપવામાં આવ્‍યો હતો. મંત્રીશ્રીએ પરિવાર પર આવી પડેલી કુદરતી આફતમાં દુખદ ઘટનાને સહન કરવાની એમના પરિવારને શકિત આપે તેવી સાંત્‍વના પાઠવી હતી.

ઉમરગામ, ઇનર વ્હીલ ક્લબની મહિલાઓ દ્વારા ઉમરગામ મહિલા પોલીસને સન્માનિત કરવામાં આવી.

Image
ઉમરગામ,  ઇનર વ્હીલ ક્લબની મહિલાઓ દ્વારા ઉમરગામ મહિલા પોલીસને સન્માનિત કરવામાં આવી.  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઇનર વ્હીલ ક્લબની મહિલાઓએ મહિલા પોલીસ કર્મીઓને કોરોના વોરિયર્સ કીટ આપીને સન્માનિત કર્યા હતા. કારોના વાયરસની લડાઇમાં, દરેક માધ્યમ સાથે ખભાથી ખભા મિલાવી ને ચાલે છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સન્માનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. 'યસ્ય પૂજ્યન્તે નારાયસ્તુ તત્ર રમન્તે દેવતા। અર્થાત્ જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ દેખાય છે તેમાં મહિલાઓનું સર્વત્ર અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. પરંતુ આજે, આપણી સંસ્કૃતિને જાળવી રાખતી વખતે, મહિલાઓ ને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આજે, કોવિડ -19 ની પરિસ્થિતિમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓનો મોટો યોગદાન છે. આજે મહિલા પોલીસ કર્મચારીઓએ ઉમરગામની ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ, રત્ના રોય, સેક્રેટરી મયુરી પંચાલ, જ્યોતિ સંન્ચેતી ખજાનચી, ઝરણા મૅડમ, કદમવરી મૅડમ, પિંકી મૅડમ, અને જિલ્લા પ્રમુખ સ્નેહા જૈન અને ક્લબના અન્ય સભ્યોએ મળ...