સ્વર્ગસ્થ..*મહેન્દ્રભાઈમેઘાણી*...
જન્મ..૨૦- જૂન, ૧૯૨૩ ; મુંબઇ.પિતા – ‘રાષ્ટ્રીય શાયર’ – ઝવેરચંદ મેઘાણી ; માતા -ચિત્રાબેન.બહેનો – ઇન્દુ, પદ્મલા, મુરલી; ભાઇઓ – મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોકપ્રાથમિક/ માધ્યમિક – ભાવનગર૧૯૪૨ – અમદાવાદમાં કોલેજ ઓફ એજ્યુકેશનનાં બે વર્ષ.૧૯૪૮ – પત્રકારત્વના અભ્યાસ માટે કોલંબિયા યુનિવર્સિટિમાં.વ્યવસાયપુસ્તક પ્રકાશક અને સંપાદક.*જીવનઝરમર*1944 – બે વર્ષ લેખક-પત્રકાર પિતા સાથે કાર્ય કર્યું.1948 – ન્યુ યોર્કના ગુજરાતી દૈનિક “નૂતન ગુજરાત” માટે લેખમાળા લખી.૧૯૫૦ – ૧૯૭૮ – ન્યૂ યોર્કથી પાછા ફરીને મુંબઇમાં “લોકમિલાપ કાર્યાલય” શરૂ કર્યું, માસિક સામયિક ‘મિલાપ’પણ શરુ કર્યું જે ભારતીય ભાષાઓમાંનું સૌ પ્રથમ ડાયજેસ્ટ બન્યું અને ગુજરાતનાં પ્રમુખ સામયિકોમાં સન્માનિત રહ્યું.લોક મિલાપ સંસ્થાના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ધોરણે અનેક દેશોમાંનાં કુટુંબોએ એકબીજાં સાથે જોડાઇને સાંસ્ક્રુતિક આપલેની યોજના અમલમાં મૂકી.૧૯૫૩ – યુ.એસ.એસ.આર;પોલાન્ડ,યુગોસ્લાવિયામાં એક પત્રકાર અને જન્મભૂમિના પ્રતિનિધિ તરીકે પંડિત જવાહરલાલ નહેરુ સાથે ગયા.તે પ્રવાસ બાદ લોક મિલાપ કાર્યાલયનું “લોક મિલાપ ટ્રસ્ટ”માં રૂપાંતર કર્યું,જેના સાંનિધ્યે પછી ઉત્તમ પુસ્તકોના પ્રકાશનનું તથા સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓનું કાર્ય ઉપાડ્યું.૧૯૬૯ – ગાંધી શતાબ્દી વર્ષદરમિયાન એકલે હાથે પાંચ ખંડોના અનેક દેશોનો પ્રવાસ ખેડીને ભારતીય પુસ્તકોનાં પ્રદર્શનો ભર્યાં !આફ્રિકા,અમેરિકા,એશિયા,યુરોપના દેશોમાં તેમણે પુસ્તકોના જ માધ્યમથી ભારત માટે આંતરરાષ્ટ્રીય સમજણ ફેલાવવાનું પ્રતિનિધિરૂપ કાર્ય કર્યું.૧૯૭૨થી – ઉત્તમ ગુજરાતી પુસ્તકોના પ્રકાશનોના પ્રોજેક્ટો હાથ ધર્યા છે.આગોતરા ગ્રાહકો નોંધીને અને એ રીતે સામે ચાલીને પુસ્તકોની માંગ કરનારા લાખો ગ્રાહકો ઉભા કરીને ઐતિહાસિકપગલું માંડ્યું જેણે કલ્પી ન શકાય એટલી નીચી કિંમતે લાખોની સંખ્યામાં પુસ્તકોના વેચાણની સિધ્ધિ હાંસલ કરી આપી !૧૯૮૭થી – ખૂણા ખૂણાના,દૂર દૂરના પ્રદેશોમાં જઇ સંસ્થાઓ ઉપરાંત સેંકડો કુટુંબોમાં જીવનચરિત્ર જેવાં પુસ્તકો પોતે વાંચ્યાં અને વંચાવ્યાં!૧૯૮૮થી – ઉપરોક્ત વાચનવાળાં પુસ્તકોને અદ્ભુત,અકલ્પ્ય અને અપૂર્વ કહેવાય તેવો પ્રોજેક્ટ હાથ ધરીને ૧૦૦-૧૦૦ પાનાંની એક એક પુસ્તિકાને લાખ લાખ કૉપીમાં છાપીને તેનું રૂ.૭ અને ૧૫ જેટલી નજીવી કિંમતે વેચાણ કર્યું.આ કિંમત આજના બજાર ભાવે એક પંચમાંશ ગણાય !આ સદીની શરૂઆતથી જ તેમણે પોતાનાં ૫૦ વર્ષોના વાચનના દરિયામાં ડૂબકી લગાવીને કસી કસીને પસંદ કરેલાં મોતી જેવાં લખાણોનો સંગ્રહ “મારી અર્ધી સદીની વાચનયાત્રા” નામે પ્રગટ કરીને વેચાન વિશ્વમાંવિક્રમ સ્થાપ્યો!! આ દળદાર ગ્રંથોનાપ્રથમ ત્રણ ગ્રંથોની ૨,૦૦,૦૦૦ પ્રતો રૂ.૭૫ની નજીવી કિંમતે તેમણે અકલ્પ્ય ઓછા સમયમાં વહેંચી ! ચોથો ભાગ પણ તાજેતરમાં પ્રસિધ્ધ થયો છે.ફિલ્મોના શોખીન,તેઓએ ભાવનગરમાં “ફિલ્મ મિલાપ” શરૂ કર્યું હતું અને બાળકો,આધેડ માટે વિશ્વભરમાંથી લાવી લાવીને બાળફિલ્મો,જૂની ક્લાસિક ફિલ્મો,ડોક્યુમેંટરીઝ વગેરેનો લાભ અપાવ્યો હતો.અનુવાદો,પુસ્તકોનાં સંક્ષેપ અને સંપાદનોનાં કાર્યો માટે તેઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.૧૮૯૬થી એટલે કે ૧૦૦થી પણ વધુ વર્ષોથી તેમના પિતા શ્રી ઝવેરચંદ મેઘાણી અને તેમના દ્વારા ગુજરાતી ભાષાની સેવા થઇ રહી છે.આ સફર આજે પણ અવિરતપણે ચાલી રહી છે કેમ કે શ્રી મહેન્દ્રભાઇનાં પુત્ર-પુત્રી આજે પ્રકાશનમાં વ્યસ્ત છે;તેમના એક નાના ભાઇ નાનકભાઇ પણ પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશનમાં લાગેલા છે.
Comments
Post a Comment