વિશ્વ રક્તદાન દિન નિમિત્તે જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ શાંતિ નગર ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યો
એન્કર વિશ્વ રક્તદાન દિન નિમિત્તે જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ શાંતિ નગર ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યો વી.ઓ આ કાર્યક્રમ જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા તેમજ જાયન્ટસ ગૃપ ઓફ પ્રાઈડ દ્વારા સંયુક્ત ઉપક્રમે શાંતિ નગર ટાઉનશીપ બીલીમોરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જા. હોલ ખાતે 11 :30 કલાકે વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ૨૦થી વધુ વાર રક્તદાન કરનાર ૪૦ જેટલા રક્તદાતા શ્રી ઓ નું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જા. કૈલાસ સોની 83 વખત રક્તદાન કર્યું હતું તેમજ નીરવ ટેલર ૨૫ વખત રક્તદાન કર્યું હતું અને અશોક પટેલે એ 97 વખત રક્તદાન કર્યું હતું તો એમને પ્રશસ્તિ પત્ર આપી જા.ગ્રુપ ના સભ્યો દ્વાર સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે બીગરી ગોયંદી ના પ્રમુખ પ્રશાંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન બ્રાન્ચ 3 A પ્રમુખશ્રી વિજય પટેલ તેમજ હાલના જા. પ્રમુખ શ્રી પંકજ મોદી બ્રાન્ચ સેક્રેટરી સુમંત ભાઈ પટેલ મંત્રી હસમુખ પટેલ જા .પ્રાઈડ પ્રમુખ શ્રી હેમંત પટેલ ઉપપ્રમુખશ્રી મનીષ પટેલ તથા પૂર્વ પ્રમુખો શ્રી બી .એચ .પટેલ સાહેબ ફિરોઝ વરિયાવા તથા ઉર્વીશ જોશી તથા પ્રાઈડ ના ખજાનચી હેમલ પટેલ તથા મંત્રી સંકેત પટેલ ઉપસ્થિત રહી રક્તદાતા શ્રીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં આભારવિધિ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલે ટૂંકા શબ્દોમાં પૂર્ણ કરી હતી
🅖🅤🅙🅐🅡🅐🅣 🅜🅞🅢🅣 🅦🅞🅝🅣🅔🅓
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment