ગઢડા- ઢસા ના ૪૦ પરપ્રાંતિય કામદારો ને વતન મોકલાયા
બસ દ્વારા તમામને બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે પહોચાડવામાં આવ્યાં તમામ પં.બંગાળ જવા રવાના_
ગુજરાત રાજ્યના રોજી-રોટી મેળવવા પરપ્રાંતિય કામદારો મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય માં આવેલા હતા અને ગુજરાત માં ઉદ્યોગ વેપાર ધંધાઓ માં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ લોકડાઉન ના કારણે ધંધા રોજગાર ની સ્થિતિ બગાડતાં પરપ્રાંતિય કામદારો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.જેના કારણે પરપ્રાંતિય કામદારો એ પોતાના વતન તરફ નીકળી ગયાં હતાં ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા પરિવારો ને પોતાના વતન પરત જવા માટે સ્પેશ્યલ ટ્રેન તથા બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગઢડા તાલુકાના ઢસા આજુબાજુ વસ્તા પરપ્રાંતિય કામદારો ને પોતાના વતન પરત જવા માટે ઓનલાઈન અરજી કરી હતી જેમાં બોટાદ જીલ્લા તંત્ર ના સહયોગથી ગઢડા તાલુકાના અધિકારીઓ ટીડીઓ નાકીયા સાહેબ ઢસા જંકશન સરપંચ ભરતભાઇ કટારીયા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જણાવાઇ રહે તેમજ તમામ પરપ્રાંતિય કામદારો નુ મેડીકલ ચેકપ સ્કીનંગ કરાવી બસ દ્વારા રેલ્વે સ્ટેશને પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી...
તંત્રી સલીમ બાવાણી
મો.9376404040
Comments
Post a Comment