રાધનપુરમાં હોમીયોપેથી ડોકટરો દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા વિતરણ કરવામાં આવી..

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં સંક્રમણ સામે કોરોના વેરિયર્સ  તરીકેની કામગીરી કરતા લોકોને સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે.

     ત્યારે કોરોના મહામારીમાં સમાચારો માટે અલગ અલગ જગ્યાએ ફરતા પત્રકારો માટે  પાટણ જિલ્લા હોમિયોપેથીક ડૉક્ટર એસોસિએશન તરફ થી ભારત સરકાર અને આયુષ મંત્રાલયે કોરોના પ્રતિરોધક સૂચિત  કરેલ આર્સેનિક આલ્બ દવા નું મફત માં વિતરણ કરવામાં આવ્યું હતું


ડો વિજય સુથારે કોરોના સામે ની જંગ લડતા કોરોના શૈનિક એવા ડૉક્ટર્સ ,નર્સ , મીડિયા કર્મીઓ, સફાયી કામદારો ની કામગીરી ને જિલ્લા એસોસિએશન વતી બિરદાવી હતી અને આવતી કાલથી વારાહી સાંતલપુર ના કોરોના વોરિયર્સ અને જરૂરિયાત મંદ લોકોને આ દવાનું મફત વિતરણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.


આ પ્રસંગે એસોસિએશન ના સેક્રેટરી ડો ચિરાગભાઈ, ડો હીમાંશુભાઈ ,ડૉ સુરેશભાઈ, ડો સાહિલભાઈ, ડૉ મિલાપભાઈ, ડો અમરતભાઈ હાજર રહી સેવાકાર્ય માં સહયોગ આપેલ.

રીપોર્ટર: નરોત્તમ રાઠોડ

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..